હળવદ : ભંગારના ડેલામાં વીજ શોક લાગતા યુવાનનું મોત

- text


યુવાન વેલ્ડીંગ કામ કરી રહ્યો હતો તે વેળાએ વિજશોક લાગ્યો

હળવદ : હળવદ શહેરમાં આવેલ બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં ભંગારના ડેલામાં કામ કરતા યુવાનને વેલ્ડીંગ કરતી વેળાએ વિજશોક લાગતા તેનું મોત નીપજ્યું છે

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાં કામ કરતા રમેશભાઈ શ્રવણભાઈ મલ (ઉંમર વર્ષ ૩૫) આજે અગિયાર વાગ્યાની આસપાસ ભંગારના ડેલામાં વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા. ત્યારે વિજશોક લાગતા સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા. જો કે યુવાનને સારવાર મળે તે પૂર્વે તેનું મોત નીપજ્યું હોવાનું હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text