વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસે માટેલધામમાં 70 દીપ પ્રગટાવાયા

- text


મોરબી : દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગઈકાલે 70 જન્મદિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વાંકાનેર નજીક આવેલ આઈશ્રી ખોડિયાર માતાજીના ધામ માટેલ મંદિરે વડાપ્રધાન મોદીના 70 માં જન્મદિને તેમના નિરોગી અને તંદુરસ્ત આયુષ્ય માટે 70 દીપ પ્રગટાવીને માટેલધામના મહંત રણુંબાપુ, વાંકાનેર તાલુકા ભાજપના પ્રમુખ વાધજીભાઈ ડાંગરિયા, ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ડાયરેક્ટર સુરેશભાઈ પ્રજાપતિ, તાલુકા યુવા ભાજપના પ્રમુખ ભરતભાઇ કાંકરેચા, ભાજપ અગ્રણી દામોદરભાઈ પટેલ, માટેલના વરિષ્ઠ આગેવાનો જગદીશબાપુ, મગનભાઈ ધેણોજા, પ્રેમજીભાઈ વિરસોડિયા, ગોકળભાઈ વિરસોડિયા તથા ભક્તજનોએ માં ખોડિયાર સમક્ષ અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text