પાંચ વર્ષ પૂર્વે મોરબીથી ગુમ થયેલી પરણીતા ચોટીલાથી મળી આવી

- text


મોરબી : પાંચ વર્ષ પૂર્વે મોરબીથી ગુમ થયેલી પરિણીતાને મોરબી પોલીસની ટીમે ચોટીલા ખાતેથી શોધી કાઢી મહિલાનો પરિવાર સાથે મેળ-મિલાપ કરાવ્યો હતો.

- text

મોરબીના વજેપર ખાતેથી આશરે 5 વર્ષ પૂર્વે એક 37 વર્ષીય પરણીતાં ગુમ થયા હોવાની ફરિયાદ મહિલાના પતિએ નોંધાવી હતી. તાજેતરમાં જ પોલીસ અધિક્ષક એસ.આર.આદેડરાની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાંથી ગુમ થયેલા બાળકો, સગીરાઓ, મહિલાઓ સહિતનાઓને શોધવાની સઘન કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે મોરબીના વજેપરમાંથી 5 વર્ષ પૂર્વે ગુમ થયેલી પરણીતાં ચોટીલા ખાતે હોવાની જાણકારી મળતા પો.હેડ.કોન્સ. હરેશભાઇ આગલ, પો.કોન્સ. વિક્રમભાઈ કુગસિયા, રમેશભાઈ મિયાત્રા, સિદ્ધરાજસિંહ ઝાલા, રણજીતદાન ગઢવી, કેતનભાઈ અજાણા સાહિતનાઓની ટીમે ઉક્ત ગુમ થયેલી મહિલાને ચોટીલા ખાતેથી શોધી કાઢી તેણીના પરિવારને હેમખેમ સોંપી આપી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text