મોરબીના અગનેશ્વર મહાદેવ મંદિરે આજે છેલ્લા સોમવારે ફૂલોનો અદભુત શણગાર

- text


 

મોરબી : ભગવાન ભોળાનાથની ભક્તિ માટેના મહત્વના ગણાતા પવિત્ર શ્રાવણ હવે અંતિમ ચરણમાં પહોંચી ગયો છે.ત્યારે શિવભક્તો ભગવાન શિવની આરાધનામાં એકાકાર બની ગયા છે.ત્યારે આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ રોડ ઉપર આવેલ પોરોણીક અગનેશ્વર મહાદેવ મંદિરે આજે ફૂલોનો અદભુત શણગાર કરવામાં આવ્યો હતો.અગનેશ્વર મહાદેવ મંદિરના મિત્ર મંડળ સહિતના ભક્તજનો દ્વારા આ મંદિરમાં ફૂલોની અદભુત કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી અને ભગવાન શિવને ફૂલોનો શ્રુગાર કરવામાં આવ્યો હતો.આજે છેલ્લા સોમવારે ભગવાન શિવના દર્શન કરીને ભાવિકો ધન્ય બન્યા હતા.જોકે મોરબીના તમામ નાના મોટા શિવાલયોમાં આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભવિકોએ ભગવાન શિવના દર્શનનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો.

- text