મોરબીના રામગઢ (કોયલી) ગામે 200 વૃક્ષોનું વાવેતર કરાયું

- text


મોરબી : મોરબી પંથકમાં હાલ વરસાદની સિઝન દરમિયાન ગામે ગામ સ્વૈચ્છિક રીતે વૃક્ષારોપણનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જે તે ગામોના લોકો પર્યાવરણનું જતન કરવા માટે સ્વૈચ્છિક રીતે વૃક્ષારોપણ કરી રહ્યા છે. જો કે હાલ વરસાદની સિઝન હોવાથી વૃક્ષાના વાવેતરનો અનુકૂળ સમય હોવાથી ઠેરઠેર વૃક્ષારોપણની સરાહનીય પ્રવૃત્તિ થઈ રહી છે. ત્યારે મોરબીના રામગઢ (કોયલી) ગામેં રહેતા ધરમશીભાઈ (બાબુભાઈ) પનારા અને શાંતુભાઈ પનારા દ્વારા ગામમાં આશરે ૨૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વૃક્ષો વાવીને તેનું કાળજી પૂર્વક જતન કરીને ગામને નંદનવન બનાવવાની નેમ વ્યક્ત કરી છે.

- text

- text