મોરબીના કુબેરનાથ મહાદેવને ચલણી નોટોનો અનોખો શૃંગાર…

- text


 

મોરબીના પૌરાણીક શિવાલયોમાં શ્રાવણ માસ નિમિત્તે આકર્ષક શૃંગાર કરવામાં આવે છે.જેમાં સોમવાર નિમિતે ખાસ શૃંગાર કરાયા હતા. શહેરમાં આવેલા કુબેરનાથ મહાદેવને ચલણી નોટોનો શ્રુંગાર કરવામાં આવ્યો હતો. જેમાં રૂ.1થી 2000 સુધીની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે સામાકાંઠે આવેલા શોભેશ્વર મહાદેવ મંદિરે ફૂલોથી મોરની પ્રતિકૃતિનો શૃંગાર કરવામાં આવ્યો હતો. આમ ભાવિકોએ શિવાલયોમાં આકર્ષક શૃંગારમાં સજ્જ ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો.

- text