મોરબી પાલીકાની વોટર કમીટીની મીટીંગ માટે ચેરમેનની ખોટી સહી કર્યાની રાવ

- text


ભુર્ગભ ગટરનો કોન્ટ્રાકટ પણ ચેરમેનની જાણ બહાર આપી દેવાયો હોવાનો આક્ષેપ

મોરબી : મોરબી નગરપાલિકાની વોટર મેનેજમેન્ટ કમીટીની મીટીંગ બાબતે ખુદ ભુગર્ભ સમિતીના ચેરમેને આ મીટીંગની નોટીસ કે એજન્ડા પણ મળ્યો ન હોવાનો તથા ચેરમેનની અન્ય કોઈએ ખોટી સહી કરી નાખ્યાંની રાવ સાથે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે. તેમજ ભુર્ગભ ગટરનો કોન્ટ્રાકટ પણ ચેરમેનની જાણ બહાર આપી દેવાયો હોવાનો આક્ષેપ કરી આ બાબતે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.

- text

લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે ,ગત તા.૨૭ જુલાઈના રોજ મોરબી નગરપાલીકાની વોટર મેનેજમેન્ટ કમીટીની મીટીંગ ચીફ ઓફીસરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં ભુગર્ભ સમિતીના ચેરમેન ભાવીન ગીરીશભાઈ ઘેલાણીને આ મીટીંગની નોટીસ કે એજન્ડા પણ આપવામા આવ્યો ન હતો. તેમને જાત તપાસ કરતા માલુમ પડ્યુ કે નગરપાલીકાના જ કોઈ વ્યક્તિ દ્વારા ભાવીન ગીરીશભાઈ ઘેલાણીની ખોટી સહી કરવામા આવી હતી આ ગંભીર બાબત ધ્યાને આવતા ચેરમેન ભાવીન ભાઈ ચોકી ઉઠ્યા હતા. આ ઉપરાંત ચેરમેનની જાણ બહાર અને સંમતિ વગર ભૂગર્ભ ગટરની યીજનોનો કોન્ટ્રાકટ આપી દેવાયાનો પણ આક્ષેપ કર્યો હતો. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી નગરપાલીકાના ચેરમેને ચીફ ઓફીસરને લેખિત રજુઆત કરી છે.

જ્યારે આ બાબતે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, આ વાત પાયા વિહોણી છે. મીટીંગ જ બોલાવી નથી. તેમજ ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાકટનો પણ પાલિકાના પ્રમુખ દ્વારા જ નિર્ણય લેવામાં આવ્યો છે.

- text