મોરબીના લીલાપર રોડનું મરામત કામ શરુ કરાયું

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ અને રોડ પર આવેલા નાલાઓ તુટી ગયેલા અને તેની હાલત ખુબ ખરાબ હોય, જેની રજુઆત વોર્ડ નબંર ૧૩ના સદસ્ય ભરતભાઇ જારીયા દ્વારા અગાઉ જિલ્લા પંચાયતના અધીકારી તેમજ તે વિભાગના ચેરમેનને કરેલ હતી. જેને અનુલક્ષીને રોડના સમારકામ અને તુટેલા નાલાના કામ મંજુર કરેલ અને કામ પણ ચાલુ કરેલ હતા. પરંતુ હજુ કામ અધુરુ હોય ફરીથી ભરતભાઇ જારીયા એ જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા તેમજ ચેરમેન અમુભાઇ હુંબલને રજુઆત કરતા ગઈકાલે લીલાપર રોડનુ સમારકામ તાતકાલિક ચાલુ કરવામાં આવેલ છે.

 

- text