મોરબી : નિધી પાર્કની મહિલાઓ દ્વારા ગટર ઊભરાવવાની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત

- text


મોરબી નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

મોરબી : મોરબીના નિધી પાર્કની મહિલાઓ દ્વારા ગટર ઊભરાવવાની સમસ્યા અંગે મોરબી નગરપાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ બાબત અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- text

મોરબીમાં રોહીદાસપરા મેઈન રોડ પર રણછોડનગર વિસ્તારમાં આવેલ શાંતિવન સ્કૂલની નજીક નિધી પાર્કના મેઈન રોડ પર ગટર ઉભરાવવાના કારણે ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યાં છે. આથી, ત્યાંના રહીશ ફરજાના બહેન સિપાઈની આગેવાની હેઠળ 20-25 મહિલાઓએ આજે નગરપાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે ગટરનું પાણી સોસાયટીના રોડ પર આવી ગયું છે. તેથી, ઘરમાં જવા માટે ગંદા પાણી પર ચાલવું પડે છે. તેમજ લાઈટ, પીવાનું પાણી જેવી પ્રાથમિક સુવિધા અંગે પણ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવવા અપીલ કરી હતી.

- text