મોરબીમાં પિતા-પુત્ર બાદ દાદીમા પણ કોરોનાથી થયા સંક્રમિત

- text


મહેન્દ્રપરામાં નગવાડિયા પરિવારના પિતા-પુત્ર બાદ દાદીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કેસ થયા 40

મોરબી : મોરબીમાં કોરોનાનો પગપેસારો યથાવત રહ્યો છે. આજે શનિવારે વધુ એક પોઝિટિવ કેસ સાથે જિલ્લાના કુલ કેસની સંખ્યા 40 થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે મહેન્દ્રપરામાં રહેતા નગવાડિયા પરિવારના પિતા-પુત્રના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ પરિવારના 80 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ પણ આજે પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધા ગત તારીખ 1 જુલાઈથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેમનું સેમ્પલ લેવાયા બાદ આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં આજે પોઝિટિવ આવેલ 80 વર્ષના દાદી કસ્તુરબેન રણછોડભાઈ નગવાડિયા અને ગઈકાલે પોઝિટિવ આવેલા તેમના પુત્ર કાંતિભાઈ નગવાડિયા અને તેમના પૌત્ર જીજ્ઞેશભાઈ નગવાડિયાનો સમાવેશ થાય છે. જ્યારે આજે શનિવારે એક પોઝિટિવ કેસ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 40 પર પોહચી ગઈ છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text