થાનગઢના જોગધ્યાનપુરા આશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ મોકૂફ રખાયો

- text


મોરબી : હાલની કોરોના મહામારી થકી ઉદ્ભવેલી જોખમી પરિસ્થિતિને કારણે આગામી તા. 5 રવિવારના રોજ ગુરૂપુર્ણિમા ઉત્સવની ઉજવણી ગુજરાત સરકારના આદેશથી તેમજ સાર્વત્રીક હીતમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તેમજ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે આશ્રમ સ્થિત રૂમોમાં રહેવાની કે પ્રસાદ-ભોજનની વ્યવસ્થા થશે નહીં. તેવી ગુરૂભકતોએ નોંધ લેવા યાદીમાં જણાવેલ છે.

- text