માટેલ ગામના તલાટી કમ મંત્રીની બદલી થતા માનભેર વિદાય અપાઈ

- text


મોરબી : માટેલ ગામના તલાટી કમ મંત્રી ડાભીભાઈની બદલી થતા માનભેર વિદાય અપાઈ હતી. ગત તા. 29 જૂનના રોજ માટેલ ગામના તલાટી કમ મંત્રી ડાભીભાઈ સમયમર્યાદા પૂરી થતાં તેમની બદલી કરવામાં આવતા ખોડીયાર માતાજી મંદિરના મહંત રણછોડદાસ બાપુ એ તેમની સન્માન વિધિ કરી હતી. આ સન્માન કાર્યક્રમમાં વાકાનેર પ્રાંત અધિકારી વસાવા હાજર રહેલ હતા. તેમજ વાંકાનેર તાલુકાના પ્રમુખ વાઘજીભાઈ તેમજ માજી જીલ્લા પંચાયતના કારોબારી સભ્ય કાળુભાઈ કાંકરેચા તેમજ માટેલ ગામના સરપંચ પણ હાજર રહ્યા હતા. તેમજ તેઓને શાલ ઓઢાડી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text