મોરબીના કાંતિનગરના વૃધ્ધે કોરોના સામેની જંગ જીતી, અમદાવાદથી ડિસ્ચાર્જ થઈને મોરબી પહોંચ્યા

- text


 

કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા મળી

મોરબી : મોરબીના કાંતિનગરના વૃધ્ધ કોરોના સામેની જંગ જીતી ગયા છે. તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.જેથી તેઓ મોરબી પરત ફર્યા છે.

- text

મોરબીના કાંતિનગર વિસ્તારમાં જાન્યુઆરી માસમાં રહેવા આવેલ ઝાકિરભાઈ નશિરભાઈ શેખ નામના વૃદ્ધનો અમદાવાદમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ ત્યાં આઇસોલેટ થયા હતા. આજ રોજ તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી તેઓને રજા આપવામાં આવી છે. હવે તેઓ મોરબી પરત ફર્યા હોવાની વિગતો જાણવા મળી છે.

- text