બગથળાંના નકલંક મંદિરે ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ મોકૂફ રખાયો

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળાં ગામના સુપ્રસિદ્ધ નકલંક મંદિરમાં આગામી તારીખ 5 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાના ઉત્સવ નિમિતે જાહેર કાર્યક્રમો કોરોના વાઇરસની મહામારીના કારણે રાખવામાં આવેલ નથી. જોકે ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે. જેની ભાવિકોએ નોંધ લેવી, તેમ મહંત દામજી ભગત તથા ટ્રસ્ટના પ્રમુખએ યાદીમાં જણાવેલ છે.

- text