મોરબી : રામધન આશ્રમના રતનબેનએ સેવાકાર્યો થકી દાદીને શ્રદ્ધાંજલિ અર્પી

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાંના શિષ્યા કથાકાર રતનબેને તેના દાદી સ્વ. બચીબેન ગોકળભાઇની પાંચમી પુણ્યતિથિએ સેવાકાર્યો કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રતનબેનએ આશ્રમને ઠંડા પાણી માટે ફ્રીજ, થર્મલ ગન, સૅનેટાઇઝર અને માસ્ક અર્પણ કર્યા હતા. આ ઉપરાંત, વૃક્ષોના રોપાનું વિતરણ, વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન તથા શ્રમજીવી પરિવારોને રાશન કીટ આપી હતી. તેમજ ગાયોને ઘાસચારો તથા પક્ષીને ચણ આપવામાં આવ્યું હતું. તેમજ સાધુ-સંતોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ રીતે રતનબેનએ દાદીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.

- text