- text
હળવદ : હળવદ પાસે વીરજી વાવમાં ડૂબી જતા એક આધેડનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
- text
હળવદમાં સુમરાવાસ ધ્રાંગધ્રા દરવાજાની અંદર રહેતા રફીકભાઇ અબ્દુલભાઇ લોલાડીયા (ઉ.વ. 52) ગઈકાલે તા. 17ના રોજ હળવદના સરા નાકા પાસે આવેલ વીરજી વાવમાં હાથ-પગ ધોવા ગયા હતા. ત્યારે અકસ્માતે વાવમાં પડી ગયા હતા. તેથી, વાવમાં ભરેલ પાણીમા ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- text