કોરોનાના કહેર વચ્ચે વધુ સમય ફાળવી દર્દીઓની સારવાર કરતા ડો. મહેન્દ્ર ફેફર

- text


મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આર્થોપેડીક સર્જન ડો. મહેન્દ્ર ફેફર છેલ્લા 1 વર્ષથી હાડકાના દર્દીઓને સારવાર આપી રહ્યા છે. હાલમાં કોરોનાની મહામારી દરમિયાન છેલ્લા 1 માસથી તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે ઓફિસિયલ નોકરી પુરી થઇ ગયા બાદ વધુ સમય ફાળવી દર્દીઓને હેરાનગતિ ના થાય એટલે સેવા ભાવનાથી ઓપીડીમાં નિદાન અને સારવાર ચાલુ રાખી છે. ઉલ્લેખનીય છે કે ડો. મહેન્દ્ર ફેફર દ્વારા જર્મન ટેક્નોલોજીથી સૌ પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં સાંધા બદલવાનું ઓપરેશન કરવામાં આવેલ હતું.

- text