મોરબીમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને સોસીયલ ડિસ્ટન્સ જાળવીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

- text


મોરબી : આજે વીર મહારાણા પ્રતાપસિંહજીની 480મી જન્મજયંતિ છે. ત્યારે આજ રોજ શ્રી રાજપુત કરણી સેના, હિન્દૂ યુવા સંગઠન તથા રાજપુત સમાજ દ્વારા સીસોદીયા કુળ શિરોમણી મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે મોરબી મહારાણા સર્કલ સ્થિત મહારાણા પ્રતાપસિંહજીની ભવ્ય પ્રતિમાને જળ અભિષેક તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે ‘જય મેવાડ’નો નાદ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના નિયમને ધ્યાનમાં લઈ સોશ્યલ ડિસ્ટન્સ રાખી જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવેલ હતી.

- text