કોરોના મહામારી નિવારણ અર્થે યોજાયેલ મહાયજ્ઞમાં મોરબીના ભૂદેવો ઘરે બેઠાં જોડાયા

- text


મોરબી : ગઇકાલે વિશ્વમાં રહેતા તમામ ભૂદેવો વિશ્વશાંતિ મહાયજ્ઞ કર્યો હતો અને યજ્ઞની આહૂતિ દ્વારા સંપૂર્ણ વિશ્વનું વાતાવરણ શુભ મંગલમય બને એવા પુ. કૃષ્ણશંકર દાદાજી સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદની પ્રેરણાથી આ કાર્ય કરવામાં આવ્યું હતું.

- text

દરેક યજમાનો એ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ ભાવ સાથે ગઇકાલે 26/ 4 /2020 ના રોજ અખાત્રીજના દિવસે સવારે ૧૧ થી ૧૨ કલાક અભિજિત મુહૂર્ત સુધીમાં આ યજ્ઞ કર્યો હતો. જેમાં મોરબીથી શાસ્ત્રી જીગ્નેશભાઇ પંડ્યા સહિત મોરબી જિલ્લાના તમામ યજમાનઓએ મોરબી જિલ્લાના કલેકટર, કમિશનર, પોલીસ અધિકારીઓ, મીડિયાકર્મીઓ તેમજ આ બધાના કુટુંબ પરિવાર તેમજ મોરબી જિલ્લાના તમામ રહેવાસીઓનું કલ્યાણ થાય અને વિશ્વની શાંતિ થાય એના નિમિત્તે યજ્ઞનું આયોજન પોતાના ઘરે જ કર્યું હતું. મોરબીના અઢીસોથી ત્રણસો જેટલા ભૂદેવો યજ્ઞની અંદર જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આની અગાઉ પણ મોરબીમાં 108 ભૂદેવ દ્વારા ત્રંબક મંત્રનો સવા લાખ મંત્ર જાપનું અનુષ્ઠાન પણ થયેલું હતું.

- text