મોરબી સીરામીક એસો. દ્વારા ટ્રાફિક વોર્ડનને માસ્ક અને સેનીટાઇઝરનું નિ:શુલ્ક વિતરણ

- text


મોરબી : હાલમાં દુનિયામાં સર્વત્ર કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા વિવિધ પગલાંઓ લેવામાં આવેલ છે. તેમજ લોકોને સલામતી માટે માસ્ક અને સેનીટાઝરનો ઉપયોગ સહિતના અનેક સુચનો કરવામાં આવ્યા છે. ત્યારે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિકનું નિયમન કરતા ટ્રાફિક વોડૅનને માસ્ક અને સેનીટાઝરનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ ઉઘરેજા, પરેશભાઈ પટેલ, કલોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગી, જયંતીભાઈ રાજકોટિયા, સતીશભાઈ કાનાબાર, રાધેભાઈ પટેલ, મેહુલભાઈ ગાંભવા સહિતના અગ્રણીઓએ હાજર રહી વિતરણ કર્યું હતું.

- text