મોરબીમાં સામાકાંઠે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન

- text


મોરબી : મોરબી નગરપાલિકાના કાઉન્સિલર જયરાજસિંહ જાડેજા (એડવોકેટ) દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન આગામી તા. 8 મેથી 15 મે સુધી કરવામાં આવ્યું છે. આ કથામાં નિખિલભાઈ જોશી વ્યાસપીઠ સ્થાનેથી કથાનું રસપાન કરાવશે. કથાનો સમય બપોરે 4 થી 7 કલાકનો રહેશે. આ કથા માં નવરાત્રી મહોત્સવ, સાંઈબાગ, ઉમા ટાઉનશીપ સામે, સામા કાંઠે રાખવામાં આવેલ છે. આ ભાગવત કથામાં જોડાવા માટે તથા પોથીના યજમાન બનવા માટે રૂ. 5,100/- રાખેલ છે. તેમાં માટે રાજુભાઈ મહારાજ – મો.નં. 95122 45962 નો સંપર્ક કરવાનો રહેશે.

- text