મોરબીના પંચમુખી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે દાંડિયા-રાસનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબીના પંચમુખી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાંડિયા-રાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી તા. 15 માર્ચ રવિવારના રોજ રાત્રે 9 કલાકથી ઉમા ટાઉનશીપની સામે, માં ગરબી ચોક, સામાકાંઠે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુઓના લાભાર્થે લુઇબ્રેલ પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓર્કેસ્ટ્રા ગ્રુપ ખેલૈયાઓ માટે રાસની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે ટ્રસ્ટ દ્વારા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text