મોરબીની જે. એ. પટેલ કોલેજમાં જોબફેર માર્ગદર્શન સેમીનાર યોજાયો

- text


મોરબી : મોરબીની શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા ‘જોબફેર માર્ગદર્શન સેમીનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કન્વીનર પ્રો. દિનેશ ફેફરે જોબફેર, ભરતી પ્રક્રિયા વિશે માહિતીઓ આપી હતી. પ્રિ. પ્રફૂલ પટેલે સ્કિલ અને કાર્ય પ્રત્યેની સિરીયસનેસ વિશે વકતવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ડૉ. ભવેશ જેતપરિયા, ડૉ. નયનાબેન ભલોડિયા,ડૉ. ડી. એન. ચેતરિયા,પ્રો. મોનિકાબેન માલવણિયા, પ્રો. જે. સી. ભોરણિયા વગેરે અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

- text