કુંભારીયા ગ્રામ પંચાયત દ્વારા મોરબી રૂટની બસ નિયમિત કરવા ડેપો મેનેજરને રજૂઆત

- text


મોરબી : કુંભારીયા ગ્રામ પંચાયતના સરપંચ કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા દ્વારા મોરબી રૂટની બસ નિયમિત કરવા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી.

- text

આ રજૂઆત અનુસાર મોરબી-કુંભારીયા રૂટની સવારની બસ ઘણા સમયથી બંધ કરી દેવામાં આવેલ છે. જેના કારણે અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ તથા મુસાફરો હેરાન-પરેશાન થઇ ગયા છે. તેમજ મોરબી-કુંભારીયા રૂટની રાતના સમયની બસ પણ અવાર-નવાર બંધ રાખવામાં આવે છે. જેના કારણે અપ-ડાઉન કરતા લોકોને પરત ફરવા મુશ્કેલી પડે છે. આથી, મોરબી-કુંભારિયા રૂટની બસ નિયમિત કરવા અરજી કરવામાં આવી છે. આ ઉપરાંત, જયારે સ્ટાફની ઘટ હોય કે અન્ય કારણોસર બસ બંધ રાખવી પડે તેમ હોય ત્યારે અન્ય જે ગામોને 2-3 બસનો લાભ મળે છે, તેના રૂટમાં ફેરફાર કરી મોરબી-કુંભારીયા રૂટની બસ ચાલુ રહે તેમ યોગ્ય કરવા કુંભારીયા ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે.

- text