નાગડાવાસ પાસે અકસ્માતમાં નવાગામના વૃદ્ધ ઘાયલ

- text


મોરબી : માળીયા હાઈવે ઉપર નાગડાવાસ ગામ નજીક વાહન અકસ્માતનાબનાવમાં ઘવાયેલા ભરવાડ વૃદ્ધને સઘન સારવારની જરૂર જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડાયા છે.

- text

મોરબી તાલુકાના નવાગામના રહેવાસી બુટાભાઈ ભરવાડ ઉં.વ. 65 નામના વૃદ્ધને મોરબી તાલુકાના નાગડાવાસ ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે બુટાભાઈ ભરવાડને રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે. હાલ ઇજાગ્રસ્ત વૃદ્ધની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

- text