ટંકારા : સાધુ સમાજ દ્વારા રામાનંદચાર્યની 720 મી જન્મ જયંતિની ધર્મોલ્લાસભેર ઉજવણી

- text


ગુરૂ મહારાજનુ પુજન અર્ચન કરી પ્રવચન બાદ મોટી સંખ્યામાં લોકોએ સમુહ પ્રસાદનો લાભ લીધો

ટંકારા : ટંકારામાં સાધુ સમાજ દ્વારા રામાનંદચાર્યની 720 મી જન્મ જયંતિ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરૂ મહારાજનુ પુજન અર્ચન કરી પ્રવચન બાદ મોટી સંખ્યામાં લોકોએ સમુહ પ્રસાદનો લાભ લીધો હતો.

- text

જગતગુરૂ અને સાધુ સમાજના ગુરૂદેવ સમા રામાનંદચાર્યની 720મી જન્મ જયંતિ નિમિત્તે ટંકારાના હાઈવે નજીકના ખાખી હનુમાનની જગ્યા ખાતે ટંકારા તાલુકાના તમામ રામાનંદી સાધુ પરીવાર સાગમટે હાજર રહ્યા હતા અને ગુરૂમહારાજનુ પુજન અર્ચન કરી પ્રાસંગિક પ્રવચન અને સમાજના તારલાને સન્માનિત કરવામાં આવ્યા હતા.સમાજના ટ્રસ્ટીને સમાજની હાજરીમા ખજાનચી અશ્ર્વિનદાદાએ વાષિકખર્ચનુ સરવૈયું રજુ કર્યૂ હતુ. હડમતીયાના રસિકભાઈ રામાયણી( કથાકાર)એ ગુરૂજીના જીવન ચરિત્રની મોખીક ઝાખી કરાવી હતી અને વિશાલ અનિરુદ્ધભાઈ અગ્રાવત દ્રારા તેજસ્વી તારલાને સિલ્ડ આપી સન્માનિત કરાય હતા અંતમા સર્વે સાધુ સમાજે રામધુન હનુમાન ચાલીસા બાદ સમુહ પ્રસાદનો લાભ લીધો હતો.

- text