માધાપર ગામના રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીના માધાપર ગામમાં રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત રામજી મંદિર ખાતે આગામી તારીખ 27 થી 29 જાન્યુઆરી સુધી દિત્ય જીર્ણોદ્ધાર પ્રસંગે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શાસ્ત્રી વેણી અદા તથા ચંદ્રકાંતભાઈ પંડ્યાના આચાર્ય પદે શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન રામ, ગણેશ, હનુમાન, માતા પાર્વતી, ગંગા તથા શીતળા માતાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તા. 27ના રાત્રે 9:30 કલાકે સુંદરકાંડના પાઠ તથા તા. 28ના રોજ 10 કલાકે સંતવાણી લોકડાયરોનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મહોત્સવ દરમિયાન મહંત દેવશીબાપા, મહંત શિવરામદાસજી, બગથળાથી મહંત દામજી ભગત, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાં સહિતના સંતો ઊપસ્થિત રહી આશીર્વચન આપશે. આ તકે આયોજકો દ્વારા ભાવિકોને દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે.

- text