જ્ઞાનવત્સલ સ્વામીની પહેલથી મોરબીમાં આવતીકાલથી જ શરૂ થશે સ્વચ્છતા અભિયાન : સાંસદ મોહનભાઇની જાહેરાત

- text


મોરબી યુવા જ્ઞાનોત્સવમાં પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ શહેરને સ્વચ્છ બનાવવાની કરેલી હાંકલના પગલે રવાપર ગામે સ્વચ્છતા અભિયાનનું આયોજન : શહેરના યુવાનો, પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાશે

મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવમાં ગઈકાલે રવિવારે પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ મારુ મોરબી સ્વચ્છ મોરબી હેઠળ અભિયાન ચાલવીને શહેરને સ્વચ્છ રાખવાની હાકલ કરી હતી. આ હાંકલ સાંસદ મોહન કુંડરિયાના હદયને સ્પર્શતા તેઓએ મોરબી શહેરને સ્વચ્છ બનાવવાની પહેલ કરી છે.જેના ભાગ રૂપે આવતીકાલે ઉત્તરાયણના પાવન પર્વ ઉપર મોરબી તાલુકા ભાજપ દ્વારા રવાપર ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.જેમાં શહેરના યુવાનો,પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારીઓ જોડાશે.

મોરબીમાં યુવાનોની શક્તિઓને સમાજ અને દેશના હિતમાં ઉપયોગ થાય અને વૈચારિક કાંતિ લાવવા માટે ત્રીદિવસીય યુવા જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવા જ્ઞાનોતસવના છેલ્લા દિવસે પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ મોરબીને સ્વચ્છ બનાવવાની હાકલ કરી હતી અને ઉધોગકારો ચાહે તો મોરબી માત્ર એક અઠવાડિયામાં સ્વચ્છ બની શકે તેમ જણાવીને સૌને સ્વચ્છતાના પ્રણ લેવડાવ્યા હતા. તેમની પ્રેરણાથી પ્રેરાઈને રાજકોટ લોકસભા વિસ્તારના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મારુ મોરબી સ્વચ્છ મોરબીના ભાગ રૂપે સ્વચ્છતા અભિયાનની પહેલ કરી છે.જેથી મોરબી તાલુકા ભાજપ દ્વારા આવતીકાલ તા.14 ના રોજ ઉત્તરાયણના દિવસે સવારના 8 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી રવાપર ગામથી એવન્યુ પાર્કના માર્ગ સુધી અને પટેલ પાનથી નવા બસ સ્ટેન્ડના માર્ગ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.

- text

આ સ્વચ્છતા અભિયાન અંગે સાંસદ મોહનભાઈએ મોરબી અપટેડ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,આ સ્વચ્છતા અભિયાનમાં એન્ટિક માર્ગોનાઈટ પ્રા. લી. ગ્રુપ સહભાગી બન્યું છે.જોકે મોરબીમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તેમજ દરેક નાગરિકોમાં મારુ મોરબી સ્વચ્છ મોરબીની ભાવના જળવાઈ રહે તે માટે પૂ.જ્ઞાનવત્સલ સ્વામીની પ્રેરણાથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં હાલ ભારે પ્રતિસાદ મળ્યો છે.આવતીકાલે સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં શહેરના યુવાનો,પ્રબુદ્ધ નાગરિકો, ઉધોગપતિઓ, ચેમ્બર ઓફ કોમર્સનાવેપારીઓ જોડાશે.લોકો જ્યાં ત્યાં કચરો ફેકીને શહેરને ગંદુ ન બનાવે તે માટે મારા તારાની નહિ પણ આપણાની ભાવના જગાવી મારુ મોરબી સ્વચ્છ કેમ રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાશે.અને મારું મોરબી કાયમ સ્વચ્છ રહે તે માટે સ્વચ્છતા અભિયાનની પ્રક્રિયા નિરંતર હાથ ધરાશે.તેવું જણાવ્યું હતું.

- text