મોરબીમાં આજે સાંજે ચોથા સેશનમાં પૂ. જ્ઞાનવત્સલ સ્વામી અને જય વસાવડાનું વક્તવ્ય

- text


મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવમા આજે રવિવારે સાંજે ચોથા સેશનમાં પૂ. જ્ઞાનવત્સલ અને જય વસાવડાનું વક્તવ્ય યોજાવાનું છે. આ અંતિમ સેશનમાં બન્ને દિગગજ વક્તાઓને માણવાનો લ્હાવો ચૂકવા જેવો નથી.

- text

12 જાન્યુઆરીને રવિવાર સાંજે ચોથું સેશન શરૂ થશે.જેમાં સાંજે 6.15 થી 6.30 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સાંજે 6.30 થી 8.00 વાગ્યા દરમિયાન જાણીતા વક્તા પૂ. જ્ઞાનવત્સલ સ્વામીનું ‘Live Living એ વિષય પર વક્તવ્ય અને રાત્રે 8.00 થી 8.30 વાગ્યા દરમિયાન દાતાઓનું સન્માન તેમજ રાત્રીના 8.30 થી 9.30 વાગ્યા દરમિયાન જાણીતા વક્તા અને લેખક જય વસાવડાનું ટેન્શન નહિ લેને કા..’ વિશે વક્તવ્ય યોજાશે.

- text