યુવા જ્ઞાન મહોત્સવમાં હકડેઠઠ મેદનીએ સંજય રાવલ અને કાજલ ઓઝા વૈદ્યનું વક્તવ્ય માણ્યું

- text


પ્રથમ સેશનમાં કાર્યક્રમના દાતાઓનું મોટીવેશનલ સ્પીકર સંજય રાવલના હસ્તે સન્માન

મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવમાં આજે પ્રથમ સેશનમાં હકડેઠઠ મેદનીએ સંજય રાવલ અને કાજલ ઓઝા વૈધનું વક્તવ્ય માણ્યું હતું. આ વેળાએ સંજય રાવલના હસ્તે કાર્યક્રમના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પટેલ સમાજ વાડી ખાતે આજે સાંજથી ત્રિ દિવસીય યુવા જ્ઞાનોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેમાં આજે પ્રથમ સેશનમાં મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલે ડર કે આગે જીત હે વિષય ઉપર વક્તવ્ય આપ્યુ હતું. ત્યાર બાદ સંજયભાઈ રાવલ દ્વારા યુવા જ્ઞાનોત્સવના દાતાઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં જાણીતા લેખલ અને સ્પીકર કાજલ ઓઝા વૈધે સામાજિક સુરક્ષા, જવાબદાર કોણ? વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. આજે પ્રથમ સેશનમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો.

- text