મોરબી : નવયુગ સંકુલ દ્વારા જડેશ્વર તથા ભંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં વનભોજન

- text


મોરબી : ગત તા. 24 ડિસેમ્બરના રોજ K.G.થી લઈને ધો. 11 તથા બી.એડ. કોલેજના તાલીમાર્થીઓએ જડેશ્વર તથા ભંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં વનભોજનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં K.G.થી ધો. 7ના વિદ્યાર્થીઓએ ટિફિન તેમજ ધો. 9થી ધો. 11ના વિદ્યાર્થીઓએ ટુકડી બનાવી ટીમ વર્ક કરી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જાતે અવનવી સ્વાદિષ્ટ રસોઈ બનાવી હતી. અને વનભોજનની મજા લેતા લેતા ટ્રેકિંગ કરતા હતા. તેમજ વિવિધ રમતો રમીને આનંદ માણ્યો હતો. વિદ્યાર્થીઓને સહ અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે પ્રકૃતિની વચ્ચે કુદરતના સાનિધ્યમાં વનભોજનની પ્રવૃત્તિને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ બિરદાવીને અભિનંદન આપ્યા હતા.

- text