ખેડૂતોને પડ્યા પર પાટુ : ટંકારા પંથકમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ

- text


(જયેશ ભટ્ટસણા, રમેશ ઠાકોર)
ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા, લજાઈ, વિરપર, સજ્નપર, ટંકારા, જબલપુર, ભુતકોટડા, નશીતપર, ધ્રુવનગર જેવા અનેક ગામોના ખેડુતોને અતિવૃષ્ટી તેમજ કમોસમી વરસાદથી વ્યાપક નુકશાનીના મારથી માંડ કળ વળી હતી અને બાકી બચેલા પાક કપાસમાં પણ ગુલાબી ઈયળ પ્રવેશી જતા ખેડુતોની હાલત કફોળી બની હતી.

- text

કપાસની ખેતીમાં વાવણીથી માંડીને કાપણી દરમિયાન વિવિધ અવરોધક પરિબળો ભાગ ભજવતા હોય છે. આ પૈકી જીવાતો નુકસાન કરે એ કપાસમાં મુખ્ય અવરોધક પરીબળ ગણાવી શકાય છે. કપાસમાં નુકસાન કરતી જીવાતોમાં મોલોમશી, તડતડીયા, થ્રીપ્સ, સફેદ માખી, મિલિબગ, પાન કથીરી અને જીંડવા કોરી ખાનારી ઇયળોનો સમાવેશ થાય છે. બીટી કપાસ આવતા ઈયળોનું નુકસાન કપાસમાં નહીવત જોવા મળે છે પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર અને ખેતીમાં આવતા બદલાવને લીધે કપાસની પાછલી અવસ્થાએ ગુલાબી ઇયળનું (Pink bollworm) નુકસાન જોવા મળે છે. ગુલાબી ઇયળ જીંડવામાં અંદર પેસી જઇને નુકસાન કરતી હોવાથી તેની હાજરીની નોંધ લઇ શકાતી નથી અને એક છુપા દુશ્મનની માફક નુકસાન કરે છે. આ જીવાતથી ૮૦% જેટલું નુકસાન થઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ જીવાતનો ઉપદ્રવ વર્ષે અને વર્ષે વધતો જાય છે.ટંકારા પંથકના અનેક ગામના ખેડુતોએ મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા, ખાતર, પાણીથી સિંચન કરી ઉછેરેલો અને અતિવૃષ્ટી તેમજ કમોસમી વરસાદથી કપાસના પાક બચાવેલ ફાલ, ફુલ અને જીંડવાથી કપાસના છોડ લચકી ગયા હતા. પણ આ તમામ જીંડવામાં કુદરતી ગુલાબી ઈયળનો પ્રવેશ થતા જ કોઈ પણ જંતુનાશક દવાનું પરિણામ નિષ્ફળ નિવડતા આ પંથકના અનેક ખેડુતોએ ઉભા પાકમાં રોટાવેટર, ઈમરજન્શી દવા છાંટી કપાસનો ના છુટકે નાશ કરી આગામી દિવસોમાં રવી પાકની મોસમની તૈયારી કરી રહ્યા છે. ચોમાસું પાકમાં અનેક ખેડુતોને ખેતીમાંથી હજુ સુધી વળતર મળેલ નથી ત્યારે આ બાબતે સરકાર પણ ખેડુતો પ્રત્યે કુણુ વલણ અપનાવી ખેડુતોએ ભરેલા પ્રિમિયમ મુજબ વિમા કંપનીનોને તત્કાલ વળતર ચુકવવા આદેશ જારી કરવા જોઈએ.

- text