મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિએ શનાળા રોડ પર સ્વામી નારાયણ મંદિર પાસે સાફ-સફાઈ કરી

- text


મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. આ સ્વચ્છતા અભિયાન સમિતિમાં 150થી વધુ સભ્યો જોડાયેલા છે.

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ગઈકાલે તા. 1 ડિસેમ્બરના રોજ રવિવારે સવારે 6-30 કલાકે સ્વામી નારાયણ મંદિર પાસે, GIDC, શનાળા રોડ ખાતે સફાઈ અભિયાન આદરવામાં આવ્યું હતું. જે અભિયાન અંતર્ગત મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિના સભ્યોએ રસ્તા પર પડેલા કચરાનો યોગ્ય નિકાલ કર્યો હતો. તેમજ રસ્તા પર સાફ-સફાઈ કરી રસ્તાને ચોખ્ખો ચણાંક કરવામાં આવ્યો હતો. આ અભિયાન થકી સમિતિએ શહેરીજનોને સ્વચ્છતા રાખવાનો સંદેશ આપ્યો હતો.

- text