મોરબી : પાંજરાપોળ નજીક મચ્છુ નદી ઉપર સામાકાંઠાને જોડતો બેઠો પુલ બનાવવા ધારાસભ્યની રજૂઆત

- text


મોરબી : મોરબીના ટ્રાફિકને ડાયવર્ટ કરવા પાંજરાપોળ નજીક મચ્છુ નદી ઉપર સામાકાંઠાને જોડતો બેઠો પુલ બનાવવા માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી હતી.

મોરબી શહેરની ટ્રાફિકની સમસ્યા ઉત્તરોત્તર વકરતી જાય છે. હાલ સામાં કાંઠે જવા માટે હયાત મયુર બ્રિજ તથા સીરામીક ઉદ્યોગ તરફ જવા માટે વાહનોની અવર-જવર મચ્છુ-2 ડેમની પાસે જોધપુર ખાતે બંધાયેલ બ્રિજ, એમ બે જ વિકલ્પો હોવાના કારણે મોરબીમાં વારંવાર ટ્રાફિક જામ થઇ જતો હોય છે. તે મુશ્કેલી નિવારવા ધારાસભ્ય બ્રિજેશ મૅરાજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને વિગતે પત્ર પાઠવી વિકલ્પ સૂચવ્યો કે મોરબી જેલ રોડ ઉપરની પાંજરાપોળ ગૌશાળા નજીક મચ્છુ નદીમાં કે જ્યાં પાણી અટકાવવા માટેની પાકી આડસ બાંધવામાં આવી છે. ત્યાં બેઠો પુલ (કોઝ-વે) બેનાવીને સામા કાંઠે ભડીયાદ તરફ વાહનો ડાયવર્ટ થઇ શકે તેમ છે. આ કામ માટે તાકીદે જરૂરી સર્વે, તાંત્રિક ચકાસણી કરાવી નકશા અંદાજો બનાવીને આગામી બજેટમાં આ કામ માટે પૂરતી રકમની જોગવાઈ કરી મોરબીની પ્રજા માટે ટ્રાફિક ડાયવર્ટ કરવા માટેની એક નવી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે.

- text

તદ્પરાંત, સામાકાંઠે નઝરબાગથી જુના રફાળેશ્વર તરફનો જે હયાત ડામર રોડ હાલ બિસમાર હાલતમાં છે. તે રી-સર્ફેસ કરવા તથા હયાત પહોળાઈને વધારી વાઈડનીંગ કરવા પણ ધારાસભ્યએ રજૂઆત કરેલ છે. આ રોડ રફાળેશ્વર, ભડીયાદ અને લાલપર એમ ત્રણ ગામને સ્પર્શતો અને સીરામીક ઉદ્યોગ ઝોનમાં આવવા-જવાનો મહત્વનો માર્ગ હોવાથી આ કામને ટોચની અગ્રતા આપવા નાયબ મુખ્યમંત્રીને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રજૂઆત કરેલ હતી.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text