વાંકાનેર : પતિએ વતનમાં જવાની ના પાડતા પત્નીનો ઝેરી દવા પીને આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.આ બનાવની વાંકાનેર પોલીસની તપાસમાં મૃતક પરિણીતાએ તેના પતિ સાથે પોતાના વતનમાં જવાનું કહ્યું હતું પરંતુ પતિએ હાલમાં જવાની ના પાડીને દિવાળીના તહેવારોમાં વતનમાં જવાનું કહેતા માઠું લાગી જવાથી પત્નીએ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે આવેલ સીમમાં રહીને ખેતમજૂરી કરતી ગીતાબેન ધર્મેશભાઈ પલાસ ઉ.વ.20 નામની પરિણીતાએ ગત તા.18 ઓક્ટોબરના રોજ ઝેરી દવા પી લેતા તેણીને વધુ સારવાર અર્થે રાજકોટ અર્થે ખસેડાઇ હતી.જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, મૃતક પરિણીતા અને તેનો પતિ અલગ આલગ રહે છે.પરંતુ મૃતક પરિણીતાએ 18 ઓક્ટોબર પહેલા પોતાના પતિને વતનમાં જવાનું કહ્યું હતું.પણ પતિએ હાલમાં કપાસમાં દવા છાંટવી હોય અને નિંદામણ કામ ચાલુ હોય દિવાળીના તહેવારો ઉપર વતનમાં જવાનું કહ્યું હતું.આથી પત્નીને આ વાતનું માઠું લાગી આવતા તેણીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.


- text