મોરબી : સ્વ.હર્ષ પરમાર તથા સ્વ. મિત મેરજાની પુણ્યતિથિ નિમિત્તે 21મીએ લોકડાયરો

- text


મોરબી : મોરબીમાં સ્વ. હર્ષ પરમાર તથા સ્વ. મિત મેરજાની છઠ્ઠી માસીક પુણ્યતિથિની શ્રદ્ધાંજલી નિમિત્તે સેવાના ઉદ્દેશ્યથી ભવ્ય લોકડાયરાનું આગામી તા.૨૧સપ્ટે.ને શનિવારના રાત્રે ૯:૩૦ કલાકે ઉમિયા સર્કલ, કેનાલ ચોકડી પાસે, શાક માર્કેટ સામે, શનાળા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલદિપ ગઢવી, કૌશિક ગૌસ્વામી, વિશાલ વરૂ જેવા અનેક ગાયક લોકસાહિત્યની વાણીનું રસપાન કરાવશે. આ તકે સ્વ. મિત અને સ્વ. હર્ષના મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text