મોરબી : નીલકંઠ સ્કૂલમાં 29 સપ્ટેમ્બરે રક્તદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : તા. ૨૯ સપ્ટેમ્બરને રવિવારના રોજ આધ્યા ફાઉન્ડેશન દ્વારા નીલકંઠ સ્કૂલના સહયોગથી રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં રવિવારે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુઘી નીલકંઠ સ્કૂલ, રવાપર રોડ, મોરબી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. આધ્યા ફાઉન્ડેશન અને નીલકંઠ સ્કૂલ પરિવાર દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી આ સેવાકિય કાર્યમાં પોતાનું યોગદાન આપી બીજા લોકો માટે પ્રેરણારૂપ બનવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ રક્તદાન કેમ્પ અંગે વધુ માહિતી માટે જીતુ વડસોલા ૯૬૦૧૫૯૯૧૧૧, નવનીત કાસુન્દ્રા ૯૭૨૭૪૭૩૭૦૩, જે. પી. પાડલીયા ૯૮૭૯૦૭૭૩૨૫ પર સંપર્ક કરવાની અપીલ કરાઈ છે.

- text