વાધરવાના ભાવિકસિંહ જાડેજા દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી : મિત્રો સાથે ફાલતુ ખર્ચ કરીને જન્મદિવસ ઉજવીએ તેના કરતા બાળકો અને વડીલો સાથે ઉજવણી કરવાનો આનંદ કંઈક અલગ હોય છે. ત્યારે વધારવાના જાડેજા ભાવિકસિંહનો ગત તા. 16 સપ્ટે.ના રોજ જન્મદિવસ હતો. તેઓએ જન્મદિવસ નિમિત્તે ગામના બાળકો તથા વડીલોને પ્રેમપૂર્વક જમાડીને અનોખી ઉજવણી કરી હતી. જેથી, તેઓને ભેટ સ્વરૂપે નાના ભુલકાંઓના ચહેરા પરની ખુશી તથા વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતાં.

- text