મોરબી નગરપાલિકાના ચેરમેન ભાનુબેન નગવાડીયાએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી : ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ સૂત્રમાં માનતા નગરપાલિકાના ચેરમેન, વોર્ડ નંબર 13ના સભ્ય તથા યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય એવા ભાનુબેન નગવાડીયાએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેમણે પછાત વિસ્તારમાં આવેલી સાર્વજનિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા આંગણવાડીના ભુલકાંઓને નાસ્તાનું વિતરણ કરી તથા તેઓની સાથે સમય વ્યતીત કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

- text