‘નાગનાથ શેરી કા રાજા’ દ્વારા ગણેશોત્સવની હરખભેર ઉજવણી

- text


મોરબી : મોરબીની નાગનાથ શેરી, દરબાર રોડ ખાતે નાગનાથ મિત્રમંડળ દ્વારા ‘નાગનાથ શેરી કા રાજા’ ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરી દુંદાળા દેવનું ભક્તિભાવપર્વક પૂજન કરવામાં આવે છે. મંડળ દ્વારા સતત 9 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ગણપતિનું સ્થાપન થયેલા પંડાલમાં મોરબીનો પ્રખ્યાત ઝૂલતો પૂલ, હિમાલય પર્વતના ફરતે પ્રદક્ષિણા કરતી ગણપતિ ટ્રેન જેવી અનેક કૃતિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ તમામ કૃતિઓ માટે મંડળના સભ્યોએ જાતે જહેમત ઊઠાવી હતી.

- text