મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

- text


મોરબી : મોરબીમાં શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા ભાવિ પેઢીની ઉન્નતિ અને વિકાસના ભાગરૂપે ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહ વર્ષ 2018-19 માટે યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સમાજના વડીલોના પ્રમુખસ્થાને એમની કારકિર્દીના અનુભવો તથા આશીર્વચન આપીને તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કર્યા બાદ સ્વાગત પ્રવચન, અતીથી વિશેષના આશીર્વચન, ઇનામ વિતરણ અને અંતે આભાર દર્શન કરવામાં આવશે. આ સમારોહ આગામી 8 સપ્ટેમ્બર રવિવારે બપોરે અઢી વાગ્યે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સદભાવના હોલ, કારીયા સોસાયટી, વાવડી રોડ ખાતે યોજવામાં આવશે. જેમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સમાજના દરેક સભ્યોએ આવવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text