- text
ડો. ચિરાગ અઘારા, સીએ રાજેશ શેરણિયા અને રવિ કંસારા સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે
મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ડો. ચિરાગ અઘારા, સીએ રાજેશ શેરસિયા અને રવિ કંસારા સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે .
મોરબી અપડેટ દ્વારા મોરબીનો અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે અને તેમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો પણ શરુ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ એટલે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે આ શો દર બુધવારે અને શનિવારે પ્રસારિત કરવામાં આવશે. આ શોમાં અલગ અલગ પ્રતિભાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવશે.
- text
આજે આ શોમાં સ્વચ્છતાપ્રિય ડો. ચિરાગ અઘારા, સીએ રાજેશ શેરસિયા અને રવિભાઈ કંસારા મહેમાન બનવાના છે. આ લોકો દ્વારા પોતાની ટીમને લઈને દર રવિવારે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, સુપરમાર્કેટ વગેરે જેવી જગ્યાઓ પર જઈને લોકોને તેઓ સ્વચ્છતા રાખવા માટે જાગૃત કરવાનું કાર્ય કરે છે. તો આજે તેમના જીવન તથા કાર્ય વિશે કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. મોરબી રેડિયોને લગતી કોઈ પણ જાણકારી માટે 95376 76276 પર સંપર્ક કરવા જણાવાયું છે.
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text