- text
મોરબી : મોરબીની વિવિધ ખાનગી શાળાઓ દ્વારા શહીદોને શ્રધાંજલિ પાઠવવા માટે રેલીઓ નીકળી હતી. જેમાં બાળકો મોટી સંખ્યામાં પોસ્ટર સાથે જોડાયા હતા.
- text
પુલવામાં આતંકી હુમલામાં ભારતના ૪૪ જવાનો શહીદ થયા છે. ત્યારે આ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જુદી જુદી ખાનગી શાળાઓ દ્વારા બાળકોની રેલી યોજવામાં આવી હતી. આ સાથે ખાનગી શાળાઓ દ્વારા શહીદોના પરિવારો માટે ફંડ પણ એકત્ર કરવામાં આવી રહ્યું છે.
- text