મોરબીમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા ઓરપેટ ગ્રૂપ દ્વારા સોમવારે વિશાળ મૌન રેલી નીકળશે

- text


મોરબી : પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા મોરબીમાં ઓરપેટ ગ્રૂપ દ્વારા આગામી તા. ૧૮ને સોમવારે વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ રેલી સમય ગેટથી શરૂ થઈને ઉમિયા સર્કલ, કેનાલ રોડ, વિનાયક સર્કલ, રવાપર રોડ, કેનાલ ચોકડી, નરસંગ ટેકરી, રવાપર રોડ, ગાંધી ચોક, શાક માર્કેટ, નગર દરવાજા ચોક, જુના બસ સ્ટેન્ડ, સાવસર પ્લોટ, રામચોક અને ત્યાંથી શનાળા રોડ થઈને સમય ગેટ ખાતે પરત ફરીને ત્યાં વિરામ પામશે.

- text