મોરબી બિલ્ડર્સ એસો. શહીદોના પરિવારને રૂ. ૫ લાખની સહાય આપશે

- text


મોરબી : પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવારના લાભાર્થે મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસિએશન રૂ. ૫ લાખની સહાય અર્પણ કરશે. આ સાથે તેઓએ હુમલાની ઘટનાને વખોડતા જિલ્લા કલેકટરને આવેદન પણ પાઠવ્યું હતું.

- text

આવેદનમાં મોરબી જિલ્લા બિલ્ડર્સ એસો.દ્વારા જણાવાયું હતું કે પુલવામાં સૈન્યના જવાનો પર થયેલો હુમલોએ દરેક નાગરિક અને દેશભક્તો પર થયેલો હુમલો છે. આ હુમલા બદલ આતંકીઓ સામે સરકાર કડક પગલા ભરે તેવી બિલ્ડર્સ એસોસિએશનની માંગ છે.

- text