મોરબીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ નેવિગેશન સિસ્ટમથી પ્રથમ ‘ની’ રિપ્લેસમેન્ટ

- text


મોરબી : મોરબીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ આયુષ હોસ્પિટલમાં જિલ્લાનું પ્રથમ નેવીગેશન સિસ્ટમથી ની રિપ્લેસમેન્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે.

અદ્યતન પ્રકારની ગણાતી નેવિગેશન સિસ્ટમથી ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન સામાન્ય રીતે અમદાવાદ અને મુંબઇ જેવા મોટા સેન્ટરોમા જ થતું હોય છે. ત્યારે મોરબીની આયુષ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ જિલ્લામા પ્રથમ વાર નેવિગેશન સિસ્ટમથી ની રિપ્લેસમેન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થી મધુબેન જેસિંગભાઈ રાઠોડ ઉ.વ. ૬૨ની સફળ સર્જરી થઈ હતી.આ આધુનિક ટેકનોલોજીનો લાભ મોરબીની જનતા લઇ શકે છે.

- text

આયુષ્માન ભારત યોજના હેઠળ આ પ્રકારના ઓપરેશન આયુષ હોસ્પિટલમાં વિનામૂલ્યે થાય છે. જ્યારે મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં આ પ્રકારના ઓપરેશન રાહતદરે થાય છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text