મોરબીમાં ચાલતી પ્રશિક્ષણ શિબિરનો શનિવારે સમાપન સમારોહ

- text


મોરબી : પતંજલી યોગ સમિતિ દ્વારા પ્રસંગ હોલ સામે આવેલા સંસ્કારધામ ખાતે ૨૧ દિવસીય યોગ પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. જેમાં આગામી તા. ૫ને શનિવારના રોજ શિબિરમો સમાપન સમારોહ તેમજ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટનો સ્થાપના દિવસ સમારોહ યોજાશે.

મોરબીમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા ૧૬ ડિસેમ્બર થી ૫ જાન્યુઆરી સુધી એકવીસ દિવસીય પ્રશિક્ષણ શિબિર સંસ્કારધામ, પ્રસંગ હોલ સામે જી.આઈ.ડી.સી મેઈન રોડ મોરબી ખાતે ચાલી રહી છે .આ પ્રશિક્ષણ શિબિરનો સમાપન કાર્યક્રમ તથા ભારત સ્વંભિમાન અને દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટનો સ્થાપના દિવસ સમારોહ તા.૫ને શનિવારે ૫ થી ૭ વાગ્યે ગુજરાત રાજ્ય પ્રભારી લક્ષમણભાઈ પટેલની હાજરીમાં યોજાશે.

- text

આ વેદિક અને યોગિક પ્રસંગે સર્વ સાધકો અને જાહેર જનતાને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે. અને વધુ વિગતો માટે રણછોડભાઈ જીવાણી 99092 02833 તથા ભારતીબેન રંગપરિયા 98257 25222 તેમજ નારણભાઇ અંદરપા અને સંજયભાઈ રાજપરાનો સંપર્ક સાધવા જણાવાયું છે.

- text