મોરબીના મકનસર ગામે દુકાનના છાપરામાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

- text


મોરબી: મોરબીના મકનસર ગામે આવેલી દુકાનના છાપરની એંગલ સાથે દોરડું બાંધી યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.અને યુવાનના આ જાહેરમાં આપઘાત કરતા ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો હતો.

મોરબીના મકનસર ગામ પાસે દુકાન ધરાવતા ગાડુંભાઈ ઝીઝવાડિયા આજે સવારે નિત્યક્રમ મુજબ દુકાને આવ્યા ત્યારે એક અજાણ્યા યુવાને તેમની દુકાનના છાપરની એંગલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું જોવા મળ્યું હતું. આથી તેમણે આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને યુવાનની ડેડબોડી ઉતારી પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

- text

આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતુંકે, મૃતક મૂળ એમ પી અને હાલ મોરબીના મકનસર ગામે આવેલા શેરોન સીરામીકમાં રહીને મજૂરી કરતો ગુલુભાઈ અનવરભાઈ બારેલા ઉ.વ.25 હોવાની ઓળખ મળી છે અને તેણે ગતરાત્રીના સમયે કોઈ કારણોસર આ સ્થળે આપઘાત કરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ બનાવનું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text