મોરબીમાં ગરબીમાં ગાળો બોલવા મુદ્દે માથાકૂટ : એકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો

- text


બોરીચાવાસના ત્રણ ભાઈઓએ લીલાપર રોડ પર ગરબીમાં માથાકૂટ કરતા હુમલો : સામ – સામી ફરિયાદ

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર યોજાતી ગરબીમાં ગાળો બોલવા પ્રશ્ને માથાકૂટ કરી બોરીચાવાસમાં રહેતા ત્રણ ભાઈએ ઝઘડો કરતા ધોકા, પાઇપ અને છરીઓ ઉડતા જયરાજ જીલું ગોગરા નામના ઇસમને ગંભીર ઇજા થઇ હતી અને સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે, આ મામલે ૧૨ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે જ્યારે સમાપક્ષે ગરબી આયોજકે ત્રણેય બોરીચા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા. ૧૩ ને શનિવારના રોજ મોરબી લીલાપર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે યોજાતી ગરબીમાં જયદીપ, જયરાજ અને જીગો જીલુ ગોગરા નામના ત્રણેય ભાઈઓએ જાહેરમાં ગાળો બોલી છરી કાઢી નારણભાઇ માધાભાઈ લાંબારીયા નામના ગરબી આયોજકને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે એ ડિવિઝન પોલીસે મથકે ત્રણેય બોરીચા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

- text

બીજી તરફ સમાપક્ષે જયદીપ જીલુભાઈ ગોગરા, રે.બોરીચાવાસ મોરબી વાળાએ ગરબીમાં માથાકૂટ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તા. ૧૩ ના રોજ આરોપી હરપાલસિંહ, હરદેવસિંહ, દિલીપસિંહ, પલ્લવ રાવલ, મહિપાલસિંહ ભાણું, દીપકસિંહ અને અન્ય છ અજાણ્યા શખ્સોએ ધોકા, પાઇપ, અને છરી વડે હુમલો કરતા તેને તથા તેના ભાઈ જયરાજને અને જીગરને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડી અને તેના ભાઈ જયરાજને વધુ ગંભીર ઇજા થતાં રાજકોટ સારવારમાં ખસેડાયાનું ફરિયાદમાં જણાવેલ હતું.

દરમિયાન ગરબીમાં ગાળો બોલવા પ્રશ્ને થયેલી આ માથાકૂટમાં જયરાજ જીલુભાઈ બોરીચનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે અને મૃતક યુવાનનો મૃતદેહ મોરબી લાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text