નવરાત્રી વેકેશનના શાળા ચાલુ રાખનાર મોરબીની ૯ શાળાઓને નોટિસ

- text


જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાની માન્યતા રદ્દ કરવા શોકોઝ ફટકારતા ફફડાટ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી પર્વે શાળાઓમા નવરાત્રી વેકેશન પાડવાની સુચના આપવા છતાં મોરબી જિલ્લામાં અનેકશાળાઓ ચાલુ રહેતા આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ૯ શાળાઓને નોટિસ ફટકારવામાં આવતા ચકચાર જાગી છે.

નવરાત્રી મહોત્સવ દરમિયાન તમામ શાળાઓમાં રજાઓ રાખવા સરકાર દ્વારા આદેશો જારી કર્યા હતા તેમ છતા રાજય સરકારના આ આદેશનો ઉલાળીયો કરીને નવરાત્રી વેકેશન દરમિયાન મોરબી જિલ્લાની અનેક ખાનગી શાળાઓ ચાલુ રહી હતી.

- text

નવરાત્રી વેકેશનમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી નિયમભંગ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી. એન. દવેએ જણાવ્યુ હતુ કે, જિલ્લામાં ૯ ખાનગી શાળાઓને નવરાત્રી વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવા મામલે નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે અને રાજય સરકારના આદેશનુ ઉલ્લંઘન કરવા મામલે આ તમામ શાળાઓની માન્યતા રદ કેમ ન કરવી તે અંગે ખુલાસો માંગ્યો છે.

- text